નવી દિલ્હી: મહાન ક્રિકેટર સચિન તેંડુલકર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે શનિવારે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. સચિન તેંડુલકરે પોતાને ઘરમાં જ ક્વોરન્ટાઈન કરી લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે  તાજેતરમાં જ્યાં આમિર ખાન અને કાર્તિક આર્યન પોઝિટિવ હોવાના સમાચારે ચોકાવ્યા તો બીજી તરફ હવે સમાચાર મળી રહ્યા છે કે બોલીવુડ દિગ્ગજ એક્ટર પરેશ રાવલ (Paresh Rawal) પણ કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે. 


પોતે આપી જાણકારી
પરેશ રાવલ (Paresh Rawal) એ શુક્રવારે જણાવ્યું કે તે કોરોના વાયરસ સંક્રમણની ચપેટમાં આવી ગયા છે. તેમણે ટ્વિટર દ્રારા પોતે સંક્રમિત હોવાની જાણકારી આપી અને પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ તપાસ કરાવવાની અપીલ કરી. 


આવું છે પરેશ રાવલનું ટ્વીટ
પરેશ રાવલ (Paresh Rawal) એ ટ્વીટ કર્યું, 'દુર્ભાગ્યવશ, હું કોરોના વાયરસની ચપેટમાં આવી ગયો છું. ગત 10 દિવસમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને તપાસ કરાવવાનો અનુરોધ કરુ છું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube