નવી દિલ્હી: ઇન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાનાના (Rihanna) ટ્વીટ બાદ દેશમાં ચાલી રહેલા કિસાન આંદોલનના (Farmers Protest) મુદ્દાએ વધુ જોર પકડ્યું છે. આ ટ્વીટ બાદ રિહાના પર ઇન્ટરનેશનલ પ્રોપેગેન્ડા ચલાવવાનો આરોપ લાગી રહ્યો છે. હવે સચિન તેંડુલકરે (Sachin Tendulkar) પણ આ મુદ્દા પર પોતાનું રિએક્શન આપ્યું છે.


સચિને રિહાનાને આપ્યો જવાબ
સચિન તેંડુલકરે (Sachin Tendulkar) ટ્વિટર પર લખ્યું કે, 'ભારતની સાર્વભૌમત્વ સાથે ચેડા કરી શકાતા નથી. બાહ્ય તાકત દર્શક હોઈ શકે છે, પરંતુ સહભાગીઓ નહીં. ભારતીય નાગરિકો ભારત વિશે જાણે છે. અમે એક રાષ્ટ્ર તરીકે એકજૂટ રહીએ.' #IndiaTogether #IndiaAgainstPropaganda'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube