નવી દિલ્હીઃ વિશ્વના મહાન બેટ્સમેનોમાં સામેલ સચિન તેંડુલકરે એકવાર ફરી વનડેમાં બાલના નિયમોમાં ફેરફાર કરવા પર ભાર મુક્યો છે. ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહે જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ને ટેગ કરતા નિયમોને લઈને ટ્વીટ કર્યુ તો સચિને તેનુ સમર્થન કર્યુ છે. ઘણા ખેલાડીઓનુ માનવુ છે કે વનડેમાં હાલના નિયમો બેટ્સમેનોના પક્ષમા વધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમયે વનડેમાં એક ઈનિંગ બે નવા બોલથી રમાઇ છે. દરેક છેડાથી એક અલગ બોલનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ઈનિંગને ત્રણ પાવરપ્લેમાં વેચવામાં આવે છે. 


આઈસીસીએ મંગળવારે ફેન્સને ભારતની મહાન ઓપનિંગ જોડી સચિન અને સૌરવ ગાંગુલીના આંકડા વિશે યાદ અપાવ્યુ હતુ. આ બંન્નેએ વનડેમાં 176 ભાગીદારી કરી છે. આ દરમિયાન 47.55ની એવરેજથી બંન્નેએ કુલ 8227 રન બનાવ્યા છે. આઈસીસીએ આ બંન્નેના આંકડા પોતાના ટ્વીટર પર પોસ્ટ કર્યા અને લખ્યુ, વનડેમાં અન્ય કોઈ જોડીએ 6000નો આંકડો પાર કર્યો નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર