સાઉથમ્પ્ટનઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શળનને કારણે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship) ના ફાઇનલ મુકાબલામાં ભારતનો 8 વિકેટે પરાજય થયો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અને દિગ્ગજ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ જણાવ્યું કે, આખરે ટીમ ઈન્ડિયાએ કેમ પરાજયનો સામનો કરવો પડ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિન તેંડુલકરનું નિવેદન
સચિન તેંડુલકરે કહ્યુ કે, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ત્રીજા ક્રમના બેટ્સમેન ચેતેશ્વર પુજારાની વિકેટ બે ઓવરના અંતરમાં પડવાથી ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ રન બનાવનાર પૂર્વ ખેલાડીએ કહ્યું કે, બ્લેકકેપના નામથી જાણીતી ન્યૂઝીલેન્ડ શાનદાર ટીમ છે.


Virat Kohli પાસેથી છીનવાઈ જશે કેપ્ટનશીપ! શું સાચી પડી આ ખેલાડીની ભવિષ્યવાણી?

ટીમ ઈન્ડિયાનો શરમજનક પરાજય
ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 217 તો બીજી ઈનિંગમાં 170 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારતે કીવી ટીમને જીતવા માટે 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડે કેન વિલિયમસન અને રોસ ટેલરની 96 રનની ભાગીદારીથી 2 વિકેટના ભોગે લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube