મુંબઈઃ મહામારી જાહેર થઈ ચુકેલા કોરોના વાયરસને કારણે આઈપીએલની 13મી સિઝનને હાલ 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. તેના પર ચર્ચા માટે શનિવારે મુંબઈમાં બીસીસીઆઈ મુખ્યાલયમાં આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેઠક બાદ કોલકત્તા નાઇટરાઇડર્સના સહ-માલિક બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાને ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, 'તમામ ફ્રેન્ચાઇઝીના માલિકોને મળવું શાનદાર રહ્યું. બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે આ બેઠકનો ઇરાદો તે હતો કે અમે બધા શું માનીએ છીએ.'


તેમણે આગળ લખ્યું, 'દર્શકો, ખેલાડીઓના મેનેજમેન્ટ અને જે શહેરોમાં અમે રમશું ત્યાંની સુરક્ષા સૌથી પહેલા છે. કોરોના વાયરસના બચાવ માટે સરકાર જે પણ પગલાં ભરશે, તેને જોતા નિર્ણય લેવામાં આવે. બીસીસીઆઈનો જે પણ નિર્ણય છે, તે સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર