કોલંબોઃ શ્રીલંકાએ 14 ઓગસ્ટથી ગાલેમાં ન્યૂઝીલેન્ડ સામે રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. શ્રીલંકન પસંદગી સમિતિએ શુક્રવારે ટીમની જાહેરાત કરી હતી. તેમાં પૂર્વ કેપ્ટન દિનેશ ચંદીમલ, એન્જેલો મેથ્યૂઝ, અરિલા ધનંજય અને નિરોશન ડિકવેલાની વાપસી થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચની સાથે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ પોતાના ટેસ્ટ ચેમ્પિયનશિપના અભિયાનની શરૂઆત કરશે. આ સિરીઝ માટે શ્રીલંકાએ 22 સંભવિત સભ્યોના નામની બુધવારે જાહેરાત કરી હતી. આ આ યાદીને 15 ખેલાડીઓની કરી દેવામાં આવી છે. સંભવિતમાં સામેલ 7 ખેલાડીએ એન્જેલો પરેરા, દનુષ્કા ગુણાથિલકા, શેહાન જયસૂર્યા, ચામિકા કુરણારત્ને, દિરૂવાન પરેરા, કાસુન રજીથા, અસિથા ફર્નાન્ડોને ટીમમાં સ્થાન મળ્યું નથી. 


પ્રથમ ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમઃ દિમુથ કરૂણારત્ને (કેપ્ટન), એન્જેલો મેથ્યૂઝ, દિનેશ ચાંદીમલ, લાહિરૂ થિરિમાને, કુશમ મેન્ડિસ, કુશલ પરેરા, નિરોશન ડિકવેલા, ધનંજય ડી સિલ્વા, અકિલા ધનંજય, લસિથ ઇબુલદેનિયા, સુરંગા લકમલ, લાહિરૂ કુમારા, ઓશિદા ફર્નાન્ડો, લક્ષન સંદાકન, વિશ્વા ફર્નાન્ડો. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર