નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા આજે થોડી કલાકો બાદ ક્રિકેટ વિશ્વ કપ-2019ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ મુકાબલા માટે ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ ટીમ ઈન્ડિયાને શુભકામના આપી છે. તેણે કીવી ટીમ સામે રમાનારી મેચ પહેલા એએનઆઈને કહ્યું, 'મેં ભારતીય ક્રિકેટ ટીમને પોતાની શુભકામનાઓ મોકલી છે. આશા છે કે ટીમ ઈન્ડિયા સારૂ પ્રદર્શન કરશે. મહત્વનું છે કે ક્રિકેટ વિશ્વ કપ ઈંગ્લેન્ડ અને વેલ્સની યજમાનીમાં રમાઇ રહ્યો છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયા આજે 3 કલાકે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઓલ્ડ ટ્રેફર્ડના માનચેસ્ટર ગ્રાઉન્ડ પર ઉતરશે. ટીમ ઈન્ડિયાને આ મેચમાં મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે. જો અહીં ભારત કીવી ટીમને હરાવવામાં સફળ રહે તો તે ફાઇનલમાં પહોંચી જશે. જ્યાં તેનો મુકાબલો ઓસ્ટ્રેલિયા અને યજમાન ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલની વિજેતા ટીમ સામે થશે. 


માનચેસ્ટરમાં 1975 બાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ નથી લાગી ભારત તરફથી અડધી સદી 

ભારતઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), દિનેશ કાર્તિક અથવા મયંક અગ્રવાલ, હાર્દિક પંડ્યા, એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ.