Virat Kohli Retirement News: ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હાલમાં મેદાનથી દૂર છે. ટી20 વર્લ્ડ કપ 2022 બાદ તેને આરામ આપવામાં આવ્યો છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. આ બધાની વચ્ચે વિરાટ કોહલીની નિવૃત્તિના સમાચાર તેજ થયા છે. વિરાટ કોહલીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેના પછી ફેન્સને તેના નિવૃત્તિનો ડર લાગવા લાગ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીની આ પોસ્ટથી ખળભળાટ મચી ગયો છે-
વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે રમાયેલી ઇનિંગ્સને સૌથી ખાસ ગણાવી છે. સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરતી વખતે તેણે 23 ઓક્ટોબર 2022ને સૌથી ખાસ ગણાવ્યું છે. આ દિલધડક બંને ટીમો વચ્ચે આ મેચ રમાઈ હતી. ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, '23 ઓક્ટોબર 2022 મારા દિલમાં હંમેશા ખાસ રહેશે. ક્રિકેટની રમતમાં આટલી ઉર્જા પહેલા ક્યારેય અનુભવાઈ ન હતી. કેટલી સુંદર સાંજ હતી.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube