નવી દિલ્હી: પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરએ કોરોના વાયરસને લઇને આઇપીએલ ટાળવાના બીસીસીઆઇના નિર્ણયની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે બોર્ડે આઇપીએલની 13મી સીઝનને સ્થગિત કરી યોગ્ય નિર્ણય લીધો છે. પરંતુ બીસીસીઆઇના અધિકારીની એક વાત ગાવસ્કરને ખટકી ગઇ. સુનીલ ગાવસ્કરે ત્યારબાદ અધિકારીને ફટકારી લગાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુનીલ ગાવસ્કરે સ્પોર્ટસ્ટારમાં પોતાની કોલમમાં લખ્યું ''બીસીસીઆઇની આઇપીએલને 15 એપ્રિલ સુધી સ્થગિત કરવાના નિર્ણયને આવકાર્યો છે. રમતથી વધુ મહત્વ રાષ્ટ્ર અને ખેલાડીની સુરક્ષા છે.'' આઇપીએલની શરૂઆત 29 માર્ચ સુધી થવાની હતી. બીસીસીઆઇએ કોરોનાના લીધે તેને 15 એપ્રિલ સુધી ટાળી દીધી છે. 


ગાવસ્કરએ કહ્યું કે આઇપીએલનું ભવિષ્ય તે વાત પર નિર્ભર છે કે દેશમાં કેટલી જલદી કોરોના વાયરસને નિયંત્રિત કરવામાં આવે છે. તેમણે કહ્યું કે ''આઇપીએલનું થવું તેના પર નિર્ભર છે કે કોવિડ-19નો ફેલાવો કેટલી ઝડપી કાબૂમાં આવે છે. 


સુનીલ ગાવસ્કરે બીસીસીઆઇના તે આધિકારીને પણ આડે હાથ લીધા, જેથી કહ્યું હતું કે તે આઇપીએલને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જેવા નબળા ટૂર્નામેન્ટ થવા દેવા માંગતા નથી. અધિકારીનું કહેવું હતું કે વિદેશી ખેલાડીઓ વિના આઇપીએલ પણ મુશ્તાક અલી ટૂર્નામેન્ટ જેવું હોઇ શકે છે. 


પૂર્વ કેપ્ટને આ વિશે લખ્યું ''સૈયદ મુશ્તાક અલીને લઇને બીસીસીઆઇ અધિકારીનું નિવેદન એકદમ સંવેદનહીન છે. પહેલી વાત તો એ છે કે ટૂર્નામેન્ટ જેના પર નામ રાખવામાં આવ્યું છે, આ નિવેદન આ મહાન ખેલાડીનું અપમાન છે. બીજી વાત એ છે કે જો આ એટલી જ ખરાબ ટૂર્નામેન્ટ છે તો તમે તેને કેમ કરાવતાં નથી. 


ગાવસ્કરે આગળ લખ્યું કે મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા નથી. પરંતુ તેનાથીએ વધુ ખરાબ વાત એ છે કે તેમાં ભારતના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભાગ લેતા નથી. તેના માટે બીસીસીઆઇ જવાબદાર છે. તે એવું શેડ્યૂલ કેમ બનાવે જ છે કે સ્ટાર ક્રિકેટર ઘરેલૂ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ શકતા નથી.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube