નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી પાંચ મેચોની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. નેશનલ ટીમમાં વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને ઝારખંડના યુવા કેપ્ટન ઈશાન કિશનને પ્રથમવાર સામેલ કરવામાં આવ્યા છે. રસપ્રદ વાત છે કે કિશને આજે વિજય હઝારે ટ્રોફીમાં મધ્યપ્રદેશ વિરુદ્ધ 94 બોલમાં 173 રન ફટકાર્યા હતા. ભારત ચાર મેચોની ટેસ્ટ સિરીઝ બાદ ઈંગ્લેન્ડ સામે 5 મેચોની ટી20 સિરીઝ રમવાનું છે. આ પાંચેય મેચ અમદાવાદમાં રમાશે. જેનો પ્રારંભ 12 માર્ચથી થશે. 


ભારતીટ ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, ઈશાન કિશન, યુજવેન્દ્ર ચહલ, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, રાહુલ તેવતિયા, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube