સિડનીઃ આઈસીસી ટી20 વિશ્વકપ 2022 (T20 World Cup 2022) માં પોતાના બીજા મુકાબલામાં ભારતીય ટીમે નેધરલેન્ડને 56 રને પરાજય આપી સતત બીજી જીત મેળવી છે. આ જીત સાથે ભારતીય ટીમ ગ્રુપ-2માં પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આજે નેધરલેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 2 વિકેટે 179 રન બનાવ્યા હતા. જેના જવાબમાં નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 123 રન બનાવી શકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ધીમી રહી હતી. કેએલ રાહુલ સતત બીજી મેચમાં ફ્લોપ રહ્યો હતો. રાહુલ માત્ર 9 રન બનાવી આઉટ થયો હતો. ભારતે પાવરપ્લેમાં 32 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ વિરાટ કોહલી સાથે મળી બીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા 39 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 53 રન બનાવી આઉટ થયો હતો. 


વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવની શાનદાર બેટિંગ
ભારતે 12 ઓવરમાં 84 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. પરંતુ ત્યારબાદ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે અંતિમ 8 ઓવરમાં 95 રન ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ સતત બીજી મેચમાં અણનમ અડધી સદી ફટકારતા 62 રન બનાવ્યા હતા. કોહલીએ 44 બોલનો સામનો કરતા 3 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તો સૂર્યકુમાર યાદવે 25 બોલમાં 7 ચોગ્ગા અને એક સિક્સ સાથે અણનમ 51 રન બનાવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube