ટી20 વર્લ્ડ કપ 2024ની જીતની ઉજવણી હજુ પણ દેશમાં થઈ રહી છે. ફેન્સ હજુ પણ ઉજવણીના નશામાંથી બહાર આવી રહ્યા નથી. દિલ્હી અને મુંબઈમાં સેલિબ્રિશન બાદ ખેલાડીઓનું હવે તેમના હોમટાઈનમાં સ્વાગત થઈ રહ્યું છે. ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા કુલદીપ યાદવનું પણ કાનપુરમાં જોરદાર સ્વાગત થયું. સ્ટાર સ્પિનર કુલદીપના ઘરે પહોંચતા જ તેના લગ્નની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. એવી અટકળો હતી કે કુલદીપ યાદવ કોઈ બોલીવુડ અભિનેત્રી સાથે લગ્ન કરી શકે છે. હવે જાણો કુલદીપે આ અંગે શું જવાબ આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

29 વર્ષના કુલદીપ યાદવે એનડીટીવી સાથે વાતચીતમાં જણાવ્યું કે તે કોઈ પણ અભિનેત્રી સાથે લગ્ન કરશે નહીં. તેણે કહ્યું કે તમને જલદી સારા સમાચાર મળશે પરંતુ તે કોઈ અભિનેત્રી નહીં હોય. જરૂરી એ છે કે જે પણ હોય તે મારા અને પરિવારની દેખભાળ કરે. 


અત્રે જણાવવાનું કે ચાઈના મેનના હુલામણા નામથી ઓળખાતા કુલદીપ યાદવે ટી20 વર્લ્ડ કપ 2024માં 10 વિકેટ લીધી હતી.  તેણે આ વિકેટ ફક્ત 5 મેચમાં લીધી હતી. કુલદીપ યાદવને ટુર્નામેન્ટની ગ્રુપ મેચોમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરાયો નહતો. ભારત સુપર 8માં પહોંચ્યું ત્યારે તેને પ્લેઈિંગ ઈલેવનમાં સામેલ કરાયો હતો. 


ટી20 વર્લ્ડ કપ જીતવા પર કુલદીપે કહ્યું કે વર્લ્ડ કપ જીતીને અમે ખુબ ખુશ છીએ. આ જીત ખુબ જ લાંબા ઈન્તેજાર બાદ મળી છે. તેમણે દેશભરમાં થઈ રહેલા ભવ્ય સ્વાગત પર કહ્યું કે દેશમાં વિશ્વ કપ લાવવો એ ચોક્કસપણે ખુબ ખુશીની વાત છે. આ કપ તમામ દેશવાસીઓનો છે. ઉજવણીથી એ પણ સાબિત થાય છે કે લોકો કેટલા ખુશ છે.