મુંબઈ : આગામી 3 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમનું સિલેક્શન થઈ ગયું છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એમ.એસ.કે પ્રસાદની અધ્યક્ષતામાં પાંચ સદસ્યોની સિલેક્શન ટીમે ટી-20, વનડે અને ટેસ્ટ ટીમ માટે ભારતીય સ્ક્વોડની જાહેરાત કરી હતી. ત્રણેય ફોર્મેટની મેચો માટે સિલેક્ટરોની ટીમે વિરાટ કોહલીને જ કેપ્ટન રાખ્યો છે. આ સિવાય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ત્રણેય ફોર્મેટની ટીમમાં સ્થાન મળ્યું છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ટી-20 અને વનડે સીરિઝમાં સ્થાન આપવાને બદલે ફાસ્ટબોલર નવદીપ સૈનીને તક અપાઈ છે.


ક્રિકેટના સમાચાર જાણવા માટે કરો ક્લિક....