નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા તેમની ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિ્ક જીત પછી ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડ પહોંચી ગઈ છે. ભારતીય ટીમ અહીં 23 જાન્યુઆરીથી પાંચ મેચોની વન ડે સિરીઝ રમવાની છે. ટીમ ઇન્ડિયા સાથે કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ પહોંચી ગઈ છે. 


ટીમ ઇન્ડિયા ઓકલેન્ડથી નેપિયર માટે રવાના થશે અને અહીં બુધવારે સિરીઝની પહેલી વન ડે રમશે. ટીમ ઇન્ડિયા માટે આ પ્રવાસ સહેલો નહીં હોય કારણ કે ભારત માટે વધારે આકરા પડકારો ઉભા થશે. નોંધનીય છે કે વિરાટ કોહલીને કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયામાં ભારતને પહેલીવાર ટેસ્ટ અને દ્વિપક્ષીય વનડે સિરીઝ જીતાડવાની સિદ્ધિ મળી છે. 


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...