નવી દિલ્હી: કોરોના વાયરસ  (Coronavirus) ના ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant) ના ખતરા વચ્ચે ભારતના દક્ષિણ આફ્રીકા પ્રવાસ (India tour of South Africa) ને લઇને મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે. બીસીસીઆઇ  એજીએમ (BCCI AGM) માં બોર્ડે ટૂરને લીલીઝંડી આપી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝીલેંડના વિરૂદ્ધ હાલની ટેસ્ટ સીરીઝ પુરી થયા બાદ ટીમ ઇન્ડીયા (Team India) ને દક્ષિણ આફ્રીકા (South Africa) માટે રવાના થવાનું છે. જૂના શિડ્યૂલ અનુસાર આ ટૂર દરમિયાન લગભગ 7 અઠવાડિયામાં 3 ટેસ્ટ, 3 વનડે અને 4ટી20 ઇન્ટરનેશનલ મેચ રમાવવાની હતી, પરંતુ પ્રોગ્રામમાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે. 


બીસીસીઆઇના સચિવ જય શાહ (BCCI Secretary Jay Shah) એ ન્યૂઝ એજન્સી એએનઆઇએ જણાવ્યું કે 'ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રીકાના પ્રવાસ (South Africa Tour) પર જશે જ્યાં તે 3 ટેસ્ટ અને 3 વનડે મેચોની સીરીઝ રમશે, તો બીજી ટી-20 ઇન્ટરનેશનલ સીરીઝ પછી રમાશે. 


અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં જીવલેણ કોરોના વાયરસ (Coronavirus) નો પ્રકોપ યથાવત છે. જોકે હવે કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 8,603 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 415 લોકોના મોત થયા છે. જાણો આજે દેશમાં કોરોનાની તાજી સ્થિતિ શું છે.   

અંબાણીથી કમ નથી આ ગુજરાતી, લગ્નમાં 7 હજારની કંકોત્રી અને 18,000ની થાળી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube