દુબઈઃ ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma)ની દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે પસંદગી થઈ છે. આ ખાસ તકે એકતરફ દિગ્ગજોએ રોહિત શર્માને શુભેચ્છા આપી છે તો બીજીતરફ રોહિતે એક વીડિયો શેર કરીને પોતાના પ્રશંસકોનો આભાર માન્યો છે. મહત્વનું છે કે હિટમેન હાલ આઈપીએલ-2020 રમવા માટે યૂએઈમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિતે આ રીતે માન્યો ફેન્સનો આભાર
રોહિતે પોતાના ફેન્સનો આભાર વ્યક્ત કરતા કહ્યું- અત્યાર સુધી આ સફર શાનદાર રહી છે અને આ પ્રકારનો ખેલ પુરસ્કાર મળવો ખરેખર ગૌરવની વાત છે. હું તે માટે ખુશ છું અને આ તમારા બધાના કારણે મળ્યો છે. તમારા સમર્તન વગર આ સંભવ ન થાત. 


જુઓ રોહિતનો વીડિયો



વિરાટ કોહલીએ આપી શુભેચ્છા
વિરાટ કોહલીએ રોહિત, ઇશાંત શર્મા અને દીપ્તિ શર્માને શુભેચ્છા આપતા ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું- રોહિતને ખેલ રત્ન અને ઇશાંત-દીપ્તિને અર્જુન એવોર્ડ માટે શુભેચ્છાઓ. દરેક ખેલાડી માટે આ ગૌરવની ક્ષણ છે.