નવી દિલ્હીઃ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી મેચમાં ભારતીય ટીમની જીત બાદ કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરતા કહ્યું કે, તેને આ સદીની ખુબ જરૂર હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ યજમાન ટીમ વિરુદ્ધ બીજી મેચમાં 120 રન બનાવ્યા અને ડકવર્થ-લુઇસ નિયમના આધાર પર ભારતને 59 રનથી જીત મળી હતી. 


કોહલી વિશ્વકપમાં એકપણ સદી ન ફટકારી શક્યો હતો અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શાનદાર ઈનિંગ રમીને તેણે પાંચ મહિનાથી ચાલી રહેલા વનડે ક્રિકેટમાં પોતાની સદીના દુષ્કાળને પૂરો કરી દીધો હતો. 


મેચ બાદ ભુવનેશ્વરે કહ્યું, 'વિરાટનો ભાવ જોઈે તમે સમજી ગયા હશો કે તેને આ સદીની કેટલી જરૂર હતી, તે માટે નહીં કે તે ફોર્મમાં નહતો પરંતુ તે 70 અને 80 રન બનાવીને આઉટ થઈ જતો હતો.'


ભુવનેશ્વરે કહ્યું, તે હંમેશા મોટો સ્કોર બનાવવા માટે જાણીતો છે. બંન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની અંતિમ મેચ બુધવારથી રમાશે. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર