નવી દિલ્હીઃ ખરાબ સમયનો સામનો કરી રહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડમાં બે ટેસ્ટ હાર્યા બાદ પ્રશંસકોને ટીમનું સમર્થન કરવાની અપીલ કરતા કહ્યું કે, આશા છે કે તેઓ ટીમનો સાથ છોડશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ સત્તાવાર ફેસબુક પેજ પર પોસ્ટ કરેલા સંદેશમાં લખ્યું છે, ઘણી વાર અમે જીતીએ છીએ, ઘણીવાર અમે શીખીએ છીએ. તમે અમારી પાસેથી આશા ન છોડો અમે વિશ્વાસ આપીએ છીએ કે તમને નિરાશ નહીં કરીએ. 



આ પોસ્ટની સાથે તસ્વીર પણ મુકવામાં આવી છે, જેમાં ખેલાડી મેદાનમાં એક-બીજાના ખંભા પર હાથ રાખીને ઉભા છે. ભારતનો પ્રથમ ટેસ્ટમાં 31 રને અને બીજી ટેસ્ટમાં એક ઈનિંગ અને 159 રને પરાજય થયો હતો. ત્રીજી ટેસ્ટ શનિવારથી નોટિંઘમમાં શરૂ થશે. 


સ્પોર્ટ્સના અન્ય સમાચારો વાંચો