નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા BCCI એ વિરાટ કોહલીને વનડે ટીમની કેપ્ટનશીપથી હટાવીને રોહિત શર્માને કેપ્ટન બનાવી દીધો. ત્યારબાદથી જ ક્રિકેટ જગતમાં ચર્ચાઓનું બજાર ગરમ છે. વિરાટ કોહલીને હટાવીને અચાનક રોહિત શર્માને કેપ્ટનશીપ આપવાથી દરેક સ્તબ્ધ છે. 2021 ટી20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલીએ ટી20 ની કેપ્ટનશીપ છોડી હતી. ત્યારબાદ BCCI એ વિરાટ કોહલીને વનડે કેપ્ટનશીપથી પણ હટાવી દીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલી પર ખુલીને બોલ્યો રોહિત શર્મા
ટીમ ઈન્ડિયાના નવા વનડે અને ટી20 કેપ્ટન બન્યા બાદ રોહિત શર્મા ખુલીને સામે આવ્યો છ. તેણે વિરાટ કોહલી અંગે મોટું નિવેદન આપ્યું છે. BCCI એ એક વીડિયો શેર કર્યો છે. જેમાં રોહિત શર્માએ કહ્યું છે કે વિરાટ કોહલીએ 5 વર્ષ સુધી આગળ વધીને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે અને દરેક મેચમાં પોતાનું બેસ્ટ આપવાની કોશિશ કરી છે. કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ક્યારેય પાછું વળીને જોયું નથી. 


રોહિતે આપ્યું આ રિએક્શન
રોહિત શર્માએ કહ્યું કે વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ રમવું અમારા માટે સારો અનુભવ રહ્યો. અમે ખુબ ક્રિકેટ સાથે રમ્યા છીએ અને દરેક પળની મજા લીધી છે. હવે અમે આગળ પણ એમ જ કરીશું. અમારે એક ટીમ તરીકે સારું થવાનું છે અને અમારું ફોકસ તેના પર છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube