નવી દિલ્હીઃ વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાની ભગવા જર્સીને લઈને એક તરફ રાજકીય વર્તુળોમાં વાદ-વિવાદ થઈ રહ્યાં છે તો કેપ્ટન વિરાટ કોહલી ખુબ પ્રશંસા કરી રહ્યો છે. ભગવા રંગની આ જર્સી ઈંગ્લેન્ડની સાથે રવિવારે રમાનારી મેચમાં પહેરવામાં આવશે. તેણે કહ્યું કે, આ ટીમ માટે એક સ્માર્ટ કિટ છે અને ખેલાડીઓને ખુબ પસંદ આવી છે. 


વિરાટ કોહલીએ કહ્યું, આ જર્સીનો કન્ટ્રાસ્ટ ખુબ સારો છે. એક ગેમ માટે આ ફેરફાર સારો લાગશે. મને નથી લાગતું કે આ જર્સીને સ્થાયી બનાવવા માટે કોઈ પ્રયત્ન કરવામાં આવશે કારણ કે બ્લૂ હંમેશા અમારો કલર રહ્યો છે. અમને નવી જર્સી પહેરવા પર ગર્વ થાય છે. અવસરને જોતા આ જર્સી એક સ્માર્ટ કિટ છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર