સાઉથેમ્પ્ટનઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, ક્રિકેટ એક મહાન શિક્ષક છે અને તેમાં માણસમાં પરિવર્તન લાવવાની ક્ષમતા છે. કોહલીની ટીમે વિશ્વકપ-2019મા ચારમાંથી પોતાની ત્રણ મેચ જીત્યા બાદ બે દિવસ સુધી આરામ કર્યો અને પછી નેટ પર પ્રેક્ટિસ કરી હતી. ભારતીય ટીમે અહીં શનિવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ મુકાબલો કરવાનો છે. અફઘાન ટીમની સાથે રમાનારી મેચ પહેલા કોહલી સહિત ટીમના કેટલાક ખેલાડીઓએ ક્રિકેટ4ગુડ અભિયાન હેઠળ બાળકો સાથે ક્રિકેટની મજા માણી હતી. 


વાંચો વિશ્વકપના અન્ય સમાચાર