નવી દિલ્હીઃ ચીનથી ફેલાયેલા ઘાતક કોરોના વાયરસના વધતા પ્રકોપની અસર ભારતીય ક્રિકેટ પર પણ પડી છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી સિરીઝની બાકી બે વનડે આંતરરાષ્ટ્રીય મેચ રદ્દ કરી દેવામાં આવી છે અને આઈપીએલ પણ 15 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વચ્ચે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર કોરોના વાયરસના બચાવનો મેસેજ લખ્યો છે. તેણે લખ્યું, 'મજબૂત રહો અને તમામ સાવધાની રાખતા #COVID19 સામે લડો. સુરક્ષિત રહો, સતર્ક રહો અને સૌથી મહત્વપૂર્ણ વાત- સારવારથી સારૂ નિવારણ છે. બધાનું ધ્યાન રાખો.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર