ઈસ્લામાબાદ: ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન પાકિસ્તાનના બેટર મોહમ્મદ રિઝવાનના મેદાન પર નમાઝ પઢવાની પળને મેચની સૌથી ખુબસુરત પળ ગણાવનારા વકાર યુનુસે હવે માફી માંગવી પડી છે. વકારે કહ્યું કે તેમણે આવેશમાં આવીને આ વાત કહી હતી, આ બદલ તેઓ માફી માંગે છે. 


પાકિસ્તાનના આ પૂર્વ ફાસ્ટ બોલરે એક ન્યૂઝ ચેનલ પર ડીબેટ દરમિયાન આ વાત કરી હતી. તેમણે નેશનલ ટીવી પર એવું કહ્યું હતું કે તેમને  'મોહમ્મદ રિઝવાનનું હિન્દુઓ વચ્ચે મેદાનમાં નમાઝ પઢવું' એ તેમને મેચમાં સૌથી સારું લાગ્યું.  અનેક પૂર્વ ક્રિકેટરોએ વકાર યુનુસના આ નિવેદનની આકરી ટીકા કરી હતી. તેમનું આ નિવેદન પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદના નિવેદન બાદ તરત આવ્યું હતું. જેમાં તેમણે પાકિસ્તાનની જીતને ઈસ્લામની જીત ગણાવી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube