Lata Mangeshkar Death: ઘણા દાયકાઓ સુધી પોતાના સુરીલા અવાજથી દેશના લોકોના દિલો પર રાજ કરનાર લતા મંગેશકરનું આજે દુ:ખદ નિધન થયું છે. લતા મંગેશકરે 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તે 8 જાન્યુઆરીથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતી. તે સતત આઈસીયુમાં ડોક્ટરોની દેખરેખમાં હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાને અલવિદા કહી દીધું લતા મંગેશકરે
લતા મંગેશકરની તબિયતમાં હાલના દિવસોમાં સુધારો થવા લાગ્યો હતો. તેમને થોડા દિવસો સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને બાદમાં તેમને વેન્ટિલેટરથી દૂર કરવામાં આવ્યા હતા. જો કે અચાનક તબિયત લથડતા તેમને ફરીથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ આજે તેમના મૃત્યુના સમાચાર આવ્યા. જેણે બધાને હચમચાવી દીધા.


લતા મંગેશકરના નિધનથી ખેલ જગત પણ શોકમાં છે. દરેક વ્યક્તિ જાણે છે કે તેમનું ક્રિકેટ પ્રત્યેનું પેશન કેટલું હતું. 1983ના વર્લ્ડકપમાં ભારતીય ટીમની જીત બાદ તેણે ખાસ કોન્સર્ટ કરીને ખેલાડીઓના પૈસા એકઠા કર્યા હતા. જ્યારે, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર માટે તેમનો પ્રેમ અને લાગણી કોઈનાથી છુપાયેલ નથી.


ટ્વિટ કરીને ધોનીને કરી હતી ખાસ વાત
લતા મંગેશકર પણ મહેન્દ્ર સિંહ ધોનીના નિવૃત્તિના સમાચાર સાંભળીને ખૂબ જ દુ;ખી હતી. તેમણે એક ટ્વિટ કરીને ધોનીને નિવૃત્તિ વિશે ન વિચારવા માટે વિનંતી કરી હતી. જુલાઈ 2019માં ભારતીય ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ ધોનીના સંન્યાસના સમાચાર આવવા લાગ્યા. આ સાંભળીને લતા મંગેશકર બેચેન થઈ ગયા. જ્યારે, તેમણે 11 જુલાઈના રોજ એક ટ્વિટ કર્યું. જેમાં તેમણે ધોનીને સંન્યાસ ન લેવા કહ્યું હતું.


લતા મંગેશકરે પોતાના ટ્વિટમાં લખ્યું હતું, 'પ્રિય ધોની જી, આજે હું સાંભળી રહી છું કે તમે સંન્યાસ લેવા માગો છો. મહેરબાની કરીને એવું ના વિચારો. દેશને તમારી રમતની જરૂર છે અને મારી વિનંતી પણ છે કે તમે તમારા મનમાં નિવૃત્તિનો વિચાર ન લાવો. તમને જણાવી દઈએ કે લતા મંગેશકરે 5000 થી વધુ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેમણે મધુબાલાથી લઈને પ્રિયંકા ચોપરા સુધી પોતાનો અવાજ આપ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube