નવી દિલ્હીઃ સ્ટાર રેસલર વિનેશ ફોગાટની (vinesh phogat) ત્રીજીવાર અનદેખી થયા બાદ રવિવારે ખેલાડીઓને પદ્મ પુરસ્કાર આપવાની રીત પર સવાલ ઉઠાવતા સંપૂર્ણ પ્રક્રિયાને 'અયોગ્ય' ગણાવી છે. વિશ્વ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ વિજેતા અને ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મેડલોની આશામાંથી એક વિનેશે સરકાર પર નિશાન સાધતા 'યોગ્ય' ઉમેદવારની પસંદગી ન કરવાનો આરોપ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિનેશે પોતાના સત્તાવાર ટ્વીટર પેજ પર સ્ક્રીનશોટ અપલોડ કર્યો જેમાં લખ્યું હતું, 'દર વર્ષે આપણી સરકાર ઘણા ખેલાડીઓને પુરસ્કાર આપે છે. આ પુરસ્કારોથી ખેલ અને ખેલાડીઓના સારા પ્રદર્શન કરવા માટે ઉત્સાહ વધારનાર હોય છે, પરંતુ તે પણ જોવામાં આવ્યું છે કે ઘણીવાર આ પુરસ્કારો દ્વારા હાલની સિદ્ધિઓ કે ખેલ જગતમાં પાછલા કેટલાક સમયની સફળતાને સન્માનિત કરવામાં આવતી નથી.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર