ચેન્નઈઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને હરાવતા ચેન્નઈ સુપર કિંગ્સે 10મી વખત આઈપીએલના ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પરંતુ હવે કેટલાક લોકો એમએસ ધોની પર બેઈમાનીનો અને રમતની ભાવના સાથે રમવાનો આરોપ લગાવી રહ્યા છે. ઘણા પૂર્વ ભારતીય અને વિદેશી ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. હકીકતમાં આ મામલો ગુજરાત ટાઈટન્સની બેટિંગ દરમિયાન 16મી ઓવર પહેલાનો છે. જ્યારે રમત થોડો સમય માટે રોકાઈ હતી. ધોની, અમ્પાયર્સ અને ચેન્નઈના પ્લેયર્સ પિચના કિનારે ઉભા રહીને વાતચીત કરવા લાગ્યા. કોઈ સમજી શક્યું નહીં કે રમત કેમ શરૂ થઈ રહી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં વાત 15મી ઓવર બાદની છે, જ્યારે ગુજરાતને જીત માટે અંતિમ 5 ઓવરમાં 71 રનની જરૂર હતી અને તેની ચાર વિકેટ બાકી હતી. ક્રીઝ પર વિજય શંકર અને રાશિદ ખાન હતા. ધોનીએ પોતાના મુખ્ય બોલર જેમ કે દીપક ચાહર, રવીન્દ્ર જાડેજા અને મહીશ તીક્ષ્ણાની ચાર-ચાર ઓવર્સ પૂરી કરાવી દીધી હતી. હવે માહી પાસે માત્ર તુષાર દેશપાંડે અને મથીશ પથિરાનાનો વિકલ્પ બચ્યો હતો. અહીંથી વિવાદની શરૂઆત થઈ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube