ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે મંગળવારે કહ્યું કે, કેપ્ટન એમએસ ધોની પાછલા અઠવાડિયે બીમાર હતો અને દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ બુધવારના મેચમાં તેના રમવાનો નિર્ણય ટોસ પહેલા લેવામાં આવશે. ફ્લેમિંગે મેચની પૂર્વ સંધ્યા પર કહ્યું, ધોની સ્વસ્થ થઈ રહ્યો છે. તે ગત સપ્તાહે બીમાર હતો. અમે તેના રમવા અંગે નિર્ણય આવતીકાલે લેશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોનીએ પ્રેક્ટિસ સત્રમાં પણ ભાગ લીધો નથી. દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસિસ અને રવિન્દ્ર જાડેજાની ઉપલબ્ધતા વિશે તેમણે કહ્યું, ફાફ સ્વસ્થ છે. જાડેજા પણ પ્રેક્ટિસ કરી રહ્યો છે. તે આવતીકાલે રમી શકે છે. 


ધોની ન રમવા પર તેની ખોટ કેમ પૂરશો, તે પૂછવા પર તેમણે કહ્યું કે, બીજા ખેલાડીઓએ પોતાની જવાબદારી સમજવી પડશે. તેમણે કહ્યું, અમારી પાસે ઘણા મોટા ખેલાડી છે, જે ચાલી રહ્યાં નથી. અમને છેલ્લા ચાર મેચોમાં તેની પાસે સારા પ્રદર્શનની આશા રહેશે.