લંડનઃ આઈસીસી વિશ્વ કપ-2019મા શાકિબ અલ હસનનું પ્રદર્શન ખૂબ શાનદાર રહ્યું છે. તે એક પોતાની ટીમને જીત પર જીત અપાવતો રહ્યો, પરંતુ બાકી ખેલાડીઓનું તેને સમર્થન મળ્યું નથી. ટીમના કેપ્ટન મુશરફે મુર્તજાએ પણ આ વાતને માની અને ટીમ તેની પ્રમાણે પ્રદર્શન ન કરવા પર તેની માફી પણ માગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશે વિશ્વ કપમાં પોતાની અંતિમ લીગ મેચમાં શુક્રવારે પાકિસ્તાન સામે 94 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પણ શાકિબે 64 રન ફટકાર્યા હતા. આ સાથે તે વિશ્વકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. 


ધોની પર આઈસીસીઃ એક એવું નામ જેણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો 


કેપ્ટને કહ્યું, 'મને લાગે છે કે અંતિમ બે મેચોમાં તો શાકિબ શાનદાર રમ્યો. તેણે શાનદાર બેટિંગ કરી પરંતુ અમે ભાગીદારી ન કરી શક્યા. બંન્ને મેચ 50-50ની સ્થિતિમાં હતી, અમે લક્ષ્ય હાસિલ કરી શકતા હતા, પરંતુ ભાગીદારી ન થઈ શકી. હું શાકિબની આ વાત માટે માફી માગવા ઈચ્છું છું, કારણ કે અમે થોડા આગળ આવીને મહેનત કરત તો પરિણામ બીજું મળી શકતું હતું. તે બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંબ બધામાં લાજવાબ રહ્યો.'