નવી દિલ્હીઃ 2007 ટી-20 વિશ્વકપની ફાઇનલમાં પાકિસ્તાનને ભારત વિરુદ્ધ અંતિમ 4 બોલમાં 6 રનની જરૂર હતી અને તેની જીત પાક્કી લાગી રહી હતી. ત્યારે પાકિસ્તાને 9 વિકેટ ગુમાવી દીધી હતી. આવી મુશ્કેલ સ્થિતિમાં ભારતનો બોલર જોગિન્દર શર્મા હીરો બનીને ઉભર્યો અને હારના મોઢામાંથી જીત છીનવીને ટીમ ઈન્ડિયાને વિશ્વકપની ટ્રોફી અપાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોગિન્દર શર્મા આ દિવસોમાં કોરોના વાયરસના ખતરા વચ્ચે લૉકડાઉનમાં ડ્યૂટી નિભાવી રહ્યો છે. જોગિન્દર શર્મા હરિયાણા પોલીસમાં ડીએસપીના પદ પર છે. મુશ્કેલ સ્થિતિમાં જોગિન્દરનો આવો જુસ્સો જોઈને આઈસીસીએ તેને સલામ કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર