નવી દિલ્હીઃ મેદાન પર રનનો વરસાદ કરનાર ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા હવે એક એવા અભિયાન સાથે જોડાયો છે, જેને ક્રિકેટ સાથે કોઈ લેવા દેવા નથી. તેમ છતાં તેના પ્રયાસની ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે. રોહિતનું આ અભિયાન વિલુપ્ત થઈ રહેલા ગેંડાના સરંક્ષણ માટે છે. તેણે કહ્યું કે, તે હવે ગેંડાને બચાવવા માટે બેટિંગ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત શર્મા WWF ઈન્ડિયા અને એનીમલ પ્લેનેટની સાથે મળીને એક સિંગડા વાળા ગેંડાના સંરક્ષણની જરૂરરીયાત પ્રત્યે જાગરૂકતા ફેલવનાર 'રોહિત4રાઇનોઝ' અભિયાન સાથે જોડાયો છે. આ અભિયાન 22 સપ્ટેમ્બરે 'વિશ્વ રાઇનો દિવસ' માટે એનીમલ પ્લેનેટ પર લોન્ચ કરવામાં આવ્યું છે. રોહિતે આ વિશે ટ્વીટ કર્યું છે. તેણે કહ્યું, 'આપણી ફરજ છે કેઆપણે અન્ય પ્રજાતિઓને પણ બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.'


સૌરાષ્ટ્રના આ ક્રિકેટરે પસંદગી સમિતિ પર ઉઠાવ્યા સવાલ, ટ્વીટર પર વ્યક્ત કરી હતાશા 


આવી એક પોસ્ટમાં કહેવામાં આવ્યું કે રોહિત સર તમે આ અભિયાન સાથે જોડાઇને સારૂ કર્યું. તમે તેની સાથે જોડાવાથી કારણે હવે તમારા પ્રશંસક પણ ગેંડાને બચાવવાના અભિયાનમાં પોતાનો સહયોગ આપી શકશે.