નવી દિલ્હીઃ ભારતને 2007 ટી20 વર્લ્ડ કપ અને 2011 ક્રિકેટ વિશ્વકપમાં જીતનો હીરો રહેલા યુવરાજ સિંહે સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી છે. 19 વર્ષોના કરિયરમાં 400 મેચ રમનાર યુવરાજ 2019ના વિશ્વકપમાં પણ રમવા ઇચ્છતો હતો, પરંતુ ખરાબ ફોર્મ અને ફિટનેસને કારણે તેનું આ સપનું પૂરુ થઈ શક્યું નથી. યુવરાજની નિવૃતીના સમાચાર સાંભળીને ફેન્સ દુખી થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર તેના ફેન્સ તેના છગ્ગા મિસ કરવાની વાત કરી રહ્યાં છે અને તેના જૂના વીડિયો શેર કરીને તેને યાદ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

37 વર્ષીય યુવરાજ સિંહે ભારત માટે પોતાની અંતિમ વનડે મેચ 30 જૂન 2017ના વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમી હતી. યુવીએ પોતાની અંતિમ ટી20 મેચ 1 ફેબ્રુઆરી 2017ના ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. જ્યારે અંતિમ ટેસ્ટ મેચ ડિસેમ્બર 2012માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. 


જુઓ યુવરાજ સિંહના સંન્યાસના સમાચાર બાદ ફેન્સના કેટલાક રિએક્શન્સ...