નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા (Team India)નો ધમાકેદાર બેટ્સમેન યુવરાજ સિંહ છેલ્લા કેટલાક સમયથી ટીમની બહાર છે. આઇપીએલમાં છેલ્લી ત્રણ સિઝનમાં નિરાશાજનક પ્રદર્શન પછી યુવરાજે આખરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. આ સાથે જ યુવરાજે બીસીસીઆઇએ વિદેશી ક્રિકેટ લીગ મેચ રમવાની પરવાનગી માગી હતી. જોકે ગુરુવારે યુવરાજના ચાહકોને ભારે નિરાશા થઈ છે. ગ્લોબલ ટી-20 કેનેડા લીગની પહેલી મેચમાં યુવરાજ મોટી ઇનિંગ નહોતો રમી શક્યો અને આઉટ ન થયો હોવા છતાં પેવેલિયન ભેગો થઈ ગયો હતો. 


આ મેચમાં યુવરાજ ગ્લોબલ ટી20 કેનેડા લીગમાં ટોરેન્ટો નેશનલ્સ તરફથી રમી રહ્યો હતો. યુવરાજની ટીમ પહેલા બેટિંગ કરી રહી હતી. આ ટીમે પહેલી ઇનિંગમાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાનમાં 159 રન બનાવ્યા હતા. આના જવાબમાં વૈંકોવર નાઇટ્સની ટીમે નિર્ધારીત લક્ષ્ય માત્ર 18 ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેળવી લીધું હતું. આ મેચમાં ક્રિસ ગેઇલ માત્ર 12 રન બનાવી શક્યો હતો. 


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક....