નવી દિલ્હીઃ ક્રિકેટર હરભજન સિંહ અને યુવરાજ સિંહ બંન્ને સારા મિત્ર છે અને હંમેશા એકબીજાની મસ્તી કરે છે. ક્રિકેટના મેદાન પર તો આ બંન્ને ખેલાડીઓના બોન્ડિંગને જોયુ છે, પરંતુ મેદાન બહાર પણ આ બંન્ને ખાસ મિત્રો છે. બંન્ને લાંબા સમય સુધી ક્રિકેટ સાથે રમ્યા છે. બંન્ને વચ્ચે સારૂ ઈમોશનલ બોન્ડિંગ છે. ઘણા વર્ષોથી એકબીજાને જાણે છે.હરભજન અને યુવરાજ મેદાન બહાર પણ ટીવી રિયાલિટી શોમાં નજર આવ્યા હતા. આ બંન્ને હંમેશા એકબીજાના સીક્રેટ શેર કરે છે. હવે ફરી એકવાર હરભજન સિંહ સોશિયલ મીડિયા પર યુવરાજ સિંહની મજાક કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવરાજ સિંહે એક ટ્વીટ કરીને લાઇટ જવાની મુશ્કેલી વર્ણવી અને સોશિયલ મીડિયા પર આ વાતને શેર કરી. યુવરાજે ટ્વીટર પર લખ્યું - લગભગ એક કલાકથી વધુનો સમય થઈ ગયો છે અને બાંદ્રામાં લાઇટ હજુ આવી નથી. કૃપયા આપણે તેને પરત મેળવી શકીએ. 



આ એક સરળ વાત હતી, પરંતુ આ અવસરે ભજજીએ યુવરાજની મજાક કરી. ભજ્જીએ ટ્વીટ કર્યું - બાદશાહ બિલ સમયસર ભદી દો.



યુવરાજ અને ભજ્જી હંમેશા એકબીજાની મસ્તી કરતા જોવા મળે છે. 2015માં જ્યારે યુવરાજ સિંહના હેજલ કીચ સાથે લગ્નની વાત બહાર આવી તો ભજ્જુએ આજ રીતે શાનદાર ટ્વીટ કર્યું હતું. 


મહત્વનું છે કે, સિક્સર કિંગ કહેવાતા યુવરાજ સિંહ ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર છે. આઈપીએલ સીઝન-11માં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા યુવરાજનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.  હરભજન આ વર્ષે આઈપીએલમાં ચેન્નઈની ટીમમાં હતો, જેણે ટ્રોફી પોતાના નામે કરી હતી.