chahal dhanshree relation :યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ પોતાના સંબંધો પર પૂર્ણવિરામ મૂકવાની ઘટનાને નકારી કાઢી છે. હવે બંનેએ ખુલાસો કર્યો છે. ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર લાંબી લચક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, અમારી અલગ થવાની ખબરો તકલીફ આપનારી હતી. તેણે કહ્યું કે, ડાન્સ કરતા સમયે થયેલી ઈજાને કારણે તેના ઘૂંટણનું ઓપરેશન થયું હતું. તે તકલીફમાં છે અને આવા સમયે લોકો તેમના અલગ થવાની વાત કરી રહ્યાં છે. આ મને દુભાય તેવી વાત છે. તો બીજી તરફ ધનશ્રીએ ચહલની તસવીરને પોતાની ઈન્સ્ટા સ્ટોરી બનાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર વ્યક્ત કરી પીડા
ધનશ્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, ડાન્સ કરતા દરમિયાન હું પડી ગઈ હતી અને મારા ઘૂંટણમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજા એટલી મોટી હતી કે, મારું લિગામેન્ટ તૂટી ગયુ હતું. હવે ડાન્સ કરવા માટે મારા ઘૂંટણની સર્જરી કરવી પડશે. 


આ પણ વાંચો : સત્તાના નશામાં ચૂર MLA ભરત પટેલનું વિવાદિત નિવેદન, ‘હું ધારું તો હુલ્લડ થઈ શકે છે’ 


ધનશ્રીની આ પોસ્ટને ચહલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ધનશ્રીએ કહ્યું કે, એક તો હું ઈજા થવાની સમસ્યાને લઈને પરેશાન છું, તો આવા સમયે કેટલાક લોકો અમારા સંબંધ વિશે સવાલો કરી રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં અમારા સંબંધો પહેલાથી વધુ મજબૂત અને પરિપક્વ બન્યાં છે. 


લોકમેળામાં મોતના કુવામાં મોટી દુર્ઘટના, ચાલુ શોમાં કાર નીચે ખાબકી, Video 


હાલ ચહલને ઝિમ્બાબ્વે ટુર પર આરામ આપવામાં આવ્યો છે. તેઓ પરિવાર સાથે રજા વિતાવી રહ્યાં છે. ચહલ અને ધનશ્રી ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે. બંનેના વીડિયો સોશિયલ મીડિયા પર પોપ્યુલર બને છે.