ATM Card: એટીએમ કાર્ડના કારણે લોકોનું દૈનિક જીવન ઘણું સરળ થઈ ગયું છે. કાર્ડના કારણે બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડવા અને જમા કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે. પહેલા આ કામ માટે બેન્કમાં જઈ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. વળી હવે એટીએમ કાર્ડ દ્વારા તમે હાથમાં રોકડા રૂપિયા વિના ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટીએમ કાર્ડના કારણે લોકોની રોકડ રકમ લઈ જવાની ઝંઝટનો અંત આવ્યો છે. એટીએમ કાર્ડના કારણે લોકોના પૈસાના કારમ સરળ બની ગયા છે. આજે તમને એટીએમ કાર્ડ સંબંધિત એક મહત્વની જાણકારી આપીએ. દરેક એટીએમ કાર્ડ પર 16 અંકનો નંબર લખેલો હોય છે. મોટાભાગના લોકો જાણતા નથી કે આ નંબરોનો અર્થ શું હોય છે. આ નંબર કોઈ સામાન્ય નંબર નથી હોતો. તે ખૂબ જ મહત્વના હોય છે અને તમારા ખાતા સાથે સંબંધ ધરાવે છે.


આ પણ વાંચો:


Tech Tips: ફોટોગ્રાફી માટે ફોન ખરીદો છો ? તો આ 5 ફિચર્સ છે કે નહીં ચેક કરજો


આ 7 Seater Car મચાવી રહી છે ધૂમ, વેચાણમાં 184 ટકાનો ઉછાળો, દમદાર છે ફિચર્સ


AC રિમોટથી બંધ કરો અને સ્વીચ રહેતી હોય આખી રાત ચાલુ તો લાઈટ બિલ આવશે મસમોટું


એટીએમ કાર્ડ પર લખેલા પહેલા અંકનું કનેક્શન તે ઈંડસ્ટ્રી સાથે હોય છે જે તેને ઈસ્યુ કરે છે. તેને મેજર ઈંડસ્ટ્રી આઈડેંટિફાયર નામથી ઓળવામાં આવે છે જે દરેક ઈંડસ્ટ્રી માટે અલગ હોય છે. 


ત્યારપછીના 5 નંબરોને ઈશ્યૂર આઈડેંટિફિકેશન નંબર હોય છે. તે જણાવે છે કે કઈ કંપનીએ આ કાર્ડ ઈસ્યૂ કર્યું છે. કાર્ડના સાતમા નંબરથી પંચદરમાં નંબર સુધી લખેલા નંબર તમારા બેંક ખાતા સાથે જોડાયેલા હોય છે. એટલે કે તે તમારા અકાઉન્ટ નંબર સાથે લિંક હોય છે.


કાર્ડ પર લખેલો 16મો નંબર એટીએમ કાર્ડની માન્યતા દર્શાવે છે. આ નંબરને ચેકસમ ડિજિટ પણ કહેવામાં આવે છે. એટલે કે એટીએમ કાર્ડ પર છપાયેલા 16 નંબરનું વિશેષ મહત્વ છે.