Inverter Blast and Fire Reason: આજકાલ ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જેમાં ઈન્વર્ટર ન હોય. પાવરકટના કારણે ઘરમાં વીજળી ઈન્વર્ટરથી આવે જ છે. અને ઘણા અલગ અલગ ગેજેટ્સ ચાલી શકે છે. ઘર માટે આટલું જરૂરી  સાધન હોવા છતાં, મોટાભાગના લોકો ઈન્વર્ટરની સંભાળ પ્રત્યે બેદરકાર રહે છે. જો આપણે ઈન્વર્ટરની કાળજી નહીં રાખીએ તો તેમાં આગ લાગી શકે છે અથવા તો બેટરીમાં બ્લાસ્ટ પણ થઈ શકે છે. આજે અમે તમને તે કારણો વિશે જણાવીએ છીએ, જેને અવગણવાથી મોટું નુકસાન થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્વર્ટરમાં સમયસર પાણી ના ભરવું-
કોઈપણ ઈન્વર્ટર ત્યારે જ ચાલી શકે છે જ્યારે તેની બેટરીમાં પર્યાપ્ત માત્રામાં ડિસ્ટિલ્ડ પાણી હોય. જો બેટરીમાં આ પાણીનું સ્તર નિર્ધારિત માત્રા કરતા ઓછું થાય તો તેના પર પ્રેશર આવવા લાગે છે અને ગરમીના કારણે, આગ અથવા બ્લાસ્ટ થાય છે. તેથી, સમય સમય પર બેટરીના પાણીનું સ્તર માપવુ જરૂરી છે. જો પાણી ઓછું દેખાય તો ભરવું જોઈએ.


યોગ્ય તાપમાનની જગ્યાએ ના રાખવા પર બ્લાસ્ટ-
ઈન્વર્ટરના શ્રેષ્ઠ સંચાલન માટે તેને એવી જગ્યાએ રાખવું જરૂરી છે જ્યાં વેન્ટિલેશનની પૂરતી વ્યવસ્થા હોય. આનું કારણ એ છે કે ઈન્વર્ટરમાં વપરાતી બેટરીનું આંતરિક તાપમાન વધારે હોય છે. આવી સ્થિતિમાં, જો આપણે તેને હવાની અવરજવરવાળી જગ્યાએ નહીં રાખીએ, તો ઈન્વર્ટરના તાપમાનમાં વધારો થવાના કારણે બ્લાસ્ટ થઈ શકે છે.


ઈન્વર્ટરના વાયરિંગમાં ખરાબી-
ઈન્વર્ટરમાં બ્લાસ્ટ ના થાય તેમાટે વાયરિંગ પર હંમેશા ધ્યાન રાખો. તેમાં સારી ગુણવત્તાના વાયરિંગનો ઉપયોગ કરવો જોઈએ. જો સસ્તા વાયર લગાવવામાં આવે તો તેનાથી શોર્ટ સર્કિટ થઈ શકે છે, જેના કારણે ઈન્વર્ટર સહિત ઘરનું આખું વાયરિંગ ખરાબ થઈ શકે છે. તેથી આના પર વિશેષ ધ્યાન આપો અને તમારા ઘરને આગ અને બ્લાસ્ટથી બચાવો.