electric vehicles catch fire :ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોમાં ગ્રાહકોએ ખરીદવાનું શરૂ કર્યું છે. હાલ જ્યારે ઈલેક્ટ્રિક ટુ વ્હીલર્સ લોકોના બજેટ ભાવમા આવી ગયા છે, અને તેના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ કેટલીક ઘટનાઓએ લોકોમા ઈલેક્ટ્રીક વાહનો ખરીદવા પર ડર પેદા કર્યો છે. ઈલેક્ટ્રિક વાહનોમાં આગ પકડવાથી લોકો હવે તેને ખરીદવા પીછેહઠ કરી રહ્યાં છે. રિપોર્ટમાં સામે આવ્યુ કે, ગત બે સપ્તાહમાં 6 ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં આગ પકડાઈ છે. જે લેટેસ્ટ ઈલેક્ટ્રિક સ્કૂટર ઓકિનાવાના છે. આ ઉપરાંત કંપનીના ઈલેક્ટ્રીક સ્કૂટર લઈને આવેલા ટ્રકમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં 40 ઈવી બળીને ખાખ થઈ ગયા. ત્યારે હવે કંપની ચિંતામાં મૂકાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધતી ગરમી સૌથી મોટું કારણ
તમિલનાડુની ઓકિનાવા ડીલરશિપ પર રાખેલા ઈલેક્ટ્રીક સ્કૂટરમાં આગ લાગ્યા બાદ ઓકિનાવા ડિલરશિપમાં આગ લાગી ગઈ છે. સંભવત આ જ કારણે કંપનીએ દેશભરમાં વેચાયેલા 3215 ઈલેક્ટ્રીક સ્કૂટરને તાત્કાલિક અસરથી પરત મંગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ગરમી હવે લોકોને પરેશાન કરી રહી છે. તો તાપમાન 40 ડિગ્રીથી વધુ પર પહોંચી ગયુ છે. આવામાં બેટરીમા આગ લાગવાનો ખતરો વધી ગયો છે. આ જ કારણે કંપનીએ રિકોલ જાહેર કર્યો છે. કંપનીની માનીએ તો ઈલેક્ટ્રીક સ્કૂટરનું હેલ્થ ચેકઅપ કરવામા આવશે. જરૂર પડવા પર તેની બેટર અને અન્ય પાર્ટસનુ મફતમાં રિપેરીંગ કરવામાં આવશે. 


આ પણ વાંચો : તું મારી ગર્લફ્રેન્ડ બની જા, તારો પતિ તને ખુશ નથી રાખતો’ કહીને સસરાએ ચારવાર પુત્રવધુ સાથે દુષ્કર્મ કર્યું 


લિથિયમ અને આયન બેટરી પેકની અસર
ઓકિનાવાની સાથે અન્ય અનેક ઈલેક્ટ્રીક સ્કૂટર બ્રાન્ડ્સના ઈલેક્ટ્રીક વાહનોમાં લિથિયમ-આયન બેટરી લગાવવામા આવે છે. જે આ ઈલેક્ટ્રીક સ્કૂટર્સમાં આગ લાગવાનુ મોટુ કારણ છે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગના કિસ્સાઓમાં આ બેટરી પેક ગરમ થયા બાદ ઈલેક્ટ્રીક સ્કૂટરમાં આગ પકડાય છે. આ ઉપરાંત વધતુ તાપમાન તેમાં મોટુ યોગદાન આપે છે. લિથિયમ આયન બેટરી પેક આગનુ મોટુ કારણ માનવામાં આવે છે. આવામાં હાલના સમયની સૌથી વધુ જરૂરિયાત છે ઈલેક્ટ્રીક બેટરી માટે કુલિંગ ડિવાઈસ લગાવવું. આ ઉપરાંત તેને સસ્તુ બનાવવા માટે ઈવીમાં ખરાબ મશીનરીનો ઉપયોગ પણ તાત્કાલિક બંધ કરાવવો જોઈએ. કેમ કે, તેનાથી ગ્રાહકના જીવને ખતરો છે.