નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ ‘પરીક્ષા પે ચર્ચા 2020’ (PARIKSHA PE CHARCHA 2020) કાર્યક્રમ અંતર્ગત દેશભરના સ્ટુડન્ટ્સ, ટીચર્ચ અને વાલી સાથે વાત કરી. દિલ્હીના તાલકોટરા સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાને સ્ટુડન્ટ્સને પરીક્ષાના તણાવથી દૂર રહેવાનો મંત્ર આપ્યો. વિદ્યાર્થીઓએ પણ પીએમ સાથે સીધો સંવાદ કરીને પરીક્ષા દરમિયાન આવતી સમસ્યાઓ જણાવી હતી. પરીક્ષા પે ચર્ચા (PARIKSHA PE CHARCHA) કાર્યક્રમની ત્રીજી સીરિઝમાં પહેલીવાર દેશના વિવિધ સ્કૂલના દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા. પરીક્ષા પે ચર્ચા દરમિયાન તાલકટોરા સ્ટેડિયમ (Talkatora Stadium)માં આવેલા વિદ્યાર્થીઓની પસંદગી mygov પ્લેટફોર્મ પર એક નિબંધ સ્પર્ધા અંતર્ગત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ધોરણ 9 થી 12ના 2.60 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને ઓનલાઈન સવાલ મોકલ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#Withoutfiltor શબ્દથી શરૂઆત કરતા તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ શરૂ કર્યો હતો. તેમણે સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, તમે જે રીતે તમારા મિત્રો સાથે વાત કરો છો, તેવી જ રીતે હું તમારી સાથે વાત કરીશ. ત્યારે પરીક્ષામાં તણાવથી લઈને, મૂડ સ્વીંગ્સ જેવા વિવિધ મુદ્દાઓ પર પીએમએ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને મંત્ર આપ્યો કે, આપણે વિફળતાઓમાંથી પણ સફળતાનું શિક્ષણ મેળવી શકીએ છીએ. દરેક પ્રયાસમાં આપણે ઉત્સાહ ભરી શકીએ છીએ અને કોઈ બાબતમાં તમે અસફળ રહ્યા તો તેનો એ મતલબ છે કે, હવે તમારે સફળતા તરફ જવુ જોઈએ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ટેકનોલોજીના સમાચાર જાણવા માટે કરો ક્લિક...