ફ્રાંસની કાર નિર્માતા કંપની Renault આ વર્ષે ભારતમાં નવી કાર ઉતારશે. માનવામાં આવી રહ્યું છે કે આ કાર આ વર્ષે જુલાઇમાં બજારમાં દસ્તક આપી શકે છે. આ સાથે જ કંપની પોતાના કેટલાક મોડલને અપગ્રેડ પણ કરશે. એટલે કે જૂની મોડલ વિશેષ સ્પેસિફિકેશન્સની સાથે બજારમાં ઉતારશે. કંપની ભારતમાં પોતાના વેચાણને આગામી બે-ત્રણ વર્ષમાં બમણી કરવાની તૈયારીમાં છે. કંપનીના અનુસાર આ રણનીતિના આધારે કામ ઝડપથી ચાલી રહ્યું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Xiaomi લોન્ચ કરશે દુનિયાનો પ્રથમ ડબલ ફોલ્ડેબલ સ્માર્ટફોન, હશે આટલો સસ્તો


જુલાઇમાં આવશે નવી કાર
રેનો ઇન્ડિયાના નવા સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર વેંકટરામ મામિલપલ્લેએ કહ્યું કે એક મિડ યોજનાના રૂપમાં કંપની ત્રણ વર્ષમાં (હાલ 80,000 એકમોથી) વેચાણની માત્રાને બમણી કરીને 150,000 એકમો કરવાની તરફ જોઇ રહી છે. તેમણે કહ્યું કે અમે 2019 અને 2020 માં નવા ઉત્પાદનો રજૂ કરનાર છે. એક મોડલ જુલાઇ (2019)માં બીજા, તેના એક વર્ષ બાદ બજારમાં રજૂ કરશે. સાથે જ કંપની પોતાની હેચબેક મોડલ Kwid અને સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ Duster ને અપગ્રેડ કરવા પર વિચાર કરશે. 

બજાજે લોન્ચ કર્યું Pulsar નું નવું મોડલ, કિંમત અને ફીચર્સ માટે વાંચો


પાંચ ટકા ભાગીદારીથી હજુ પાછળ
રએનોએ ભારતીય કાર બજારમાં હજુ વધુ ભાગીદારી પ્રાપ્ત કરી શકી નથી. જ્યારે પૂછવામાં આવ્યું કે રેનોએ પાંચ ટકા બજાર ભાગીદારી પ્રાપ્ત કરવાના પોતાના પ્રથમ ટાર્ગેટને પ્રાપ્ત કરી લીધો છે, તેમણે કહ્યું કે પાંચ ટકા બજાર ભાગીદારી, 1,50,000 માત્રા છે, તેમણે કહ્યું કે ''હું તેનાથી સારું વિચારું છું. હજુ અડધા રસ્તે છું.'' હાલમાં તે ઉદ્દેશ્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.



ફોટો સાભાર: બીજીઆર


કાર્લોસ ઘોસન પ્રકરણથી અસર કેટલી
પૂછવામાં આવ્યું હતું કે શું કાર્લોસ ઘોસન પ્રકરણે કંપનીને પ્રભાવિત કરી છે, કંપનીના સીઇઓએ કહ્યું કે મને એવું લાગતું નથી કે આ મામલો અલગ છે. મને લાગે છે કે કોઇપણ ગ્રાહક આવા કેસને જોઇને વાહન ખરીદતો નથી. નિસાન મોટર કોર્પસના ઘોસન પ્રમુખને 19 નવેમ્બર 2018ના રોજ નાણાકીય ગેરવર્તનની શંકામાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે ટોક્યોની એક કોર્ટે 5 માર્ચના રોજ આ બિઝનેસ ટાઇકૂનના રોજ જામીન આપ્યા હતા.