SIM Card Rule Change 2023:  સરકારે વ્યક્તિ દીઠ સિમ કાર્ડની સંખ્યા અંગે એક નિયમ નક્કી કર્યો હોવા છતાં આજે પણ લોકો નિયમોને બાયપાસ કરીને એક જ આધાર કાર્ડ પર અનેક સિમનો ઉપયોગ કરી રહ્યા છે. ગયા વર્ષે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (DoT) દ્વારા સિમ-કાર્ડ વેરિફિકેશન માટે આપવામાં આવેલી સમય મર્યાદાની તારીખ સમાપ્ત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં કોઈપણ વ્યક્તિ જેની પાસે એક નામ પર 9 કે તેથી વધુ સિમ સક્રિય છે. ટેલિકોમ વિભાગ તેમને રદ કરવા માટે કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે નવા વર્ષ એટલે કે 1લી જાન્યુઆરીએ દેશમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા સિમ કાર્ડ્સ રદ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DoT એ ઘણી ચેતવણીઓ આપી છે
વાસ્તવમાં ટેલિકોમ વિભાગે 9 કે તેથી વધુ સિમ ધરાવતા લોકોને ઘણી વખત ચેતવણી આપી છે પરંતુ તેમ છતાં લોકો એક જ નામે 20-20 સિમનો ઉપયોગ કરી રહ્યા છે. હવે સરકારે કડક પગલાં લઈને એક જ આધાર પર 9થી વધારે તમામ સિમ કાર્ડ રદ કરવાની યોજના બનાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્સલ થયા પછી આ સિમ કાર્ડ્સમાંથી ન તો આઉટગોઇંગ કોલ્સ અને ન તો ઇનકમિંગ કોલ પ્રાપ્ત થશે.


આ પણ વાંચો : 


રશ્મિકા મંદાના ફરી વિવાદોમાં સપડાઇ : આ પહેલા કહ્યું હતું કે ખાવાથી વધુ જરૂરી છે આ...


તમે પણ આ ભૂલો નથી કરતા ને! હેલ્મેટ પહેરવાની અને સુરક્ષિત રહેવાની આ છે સાચી રીત


શિયાળામાં કેમ બેસી જાય છે છાતીના પાટીયા? હ્રદયરોગ વધવા પાછળ સામે આવ્યું મોટું કારણ


નિયમ શું છે?
ટેલિકોમ વિભાગના જણાવ્યા અનુસાર, ભારતનો કોઈપણ નાગરિક પોતાના નામે વધુમાં વધુ 9 સિમ-કાર્ડ ધરાવી શકે છે. જ્યારે જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તર માટે 6 સિમ રાખવાની જોગવાઈ છે. વિભાગીય માહિતી અનુસાર, એક આઈડી પર 9 થી વધુ સિમ રાખવાને ગેરકાયદેસર ગણવામાં આવશે. ઓનલાઈન છેતરપિંડી, વાંધાજનક કોલની ઘટનાઓને રોકવા માટે આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે. એટલા માટે ટેલિકોમ વિભાગ ગેરકાયદેસર સિમ ધરાવતા લોકોના સિમ કાર્ડ રદ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ પહેલા પણ જાન્યુઆરી મહિનામાં ગેરકાયદેસર સિમ કાર્ડ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.


9થી વધુ સિમ ચલાવતા યુઝરના સિમ કાર્ડને 30 દિવસની અંદર આઉટગોઇંગ કોલ અને 45 દિવસમાં ઇનકમિંગ કોલ બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. ટેલિકોમ વિભાગ 2 મહિના અથવા 60 દિવસમાં સિમને સંપૂર્ણપણે નિષ્ક્રિય કરવાની યોજના બનાવી રહ્યું છે. જો કે આ પહેલા પણ ડિપાર્ટમેન્ટે સિમ કાર્ડને ઓટોમેટીક બંધ કરવા માટે ઘણી વખત અપીલ કરી છે. DoT અનુસાર જો કાયદા અમલીકરણ એજન્સી અથવા બેંક અથવા અન્ય કોઈપણ નાણાકીય સંસ્થા તરફથી મોબાઇલ નંબર વિરુદ્ધ ફરિયાદ મળે છે. તો આવા સિમના આઉટગોઇંગ કૉલ્સ 5 દિવસની અંદર અને ઇનકમિંગ કૉલ્સ 10 દિવસમાં બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.


આ પણ વાંચો : નોકરી! ધોરણ 8 પાસ માટે સરકારી નોકરીની ઉજ્જવળ તક, 63 હજાર રૂપિયા મળશે પગાર