TWO SIM CARD: ટેલિકોમ રેગ્યુલારિટી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ જવાબ આપ્યો છે કે શું યુઝર્સને બે સિમ કાર્ડ રાખવા માટે ચૂકવણી કરવી પડશે. ચાલો અમે તમને જણાવીએ કે તમારે બે સિમ રાખવા માટે ખરેખર ચાર્જ ચૂકવવો પડશે કે નહીં. તેનું સત્ય શું છે? મોબાઈલના સીમ કાર્ડનો મુદ્દો છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચામાં છે. લોકો સીમ કાર્ડને લઈને નિયમ બદલાયો હોવાની વાત કરી રહ્યાં છે. જોકે, શું છે સાચી હકીકત એ પણ જાણવા જેવું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રાઈએ શું કહ્યું?
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે તે બે સિમ કાર્ડ અને મોબાઈલ નંબર ધરાવતા ગ્રાહકો પર ચાર્જ લાદવાનું વિચારી રહી છે.


ટેલિકોમ્યુનિકેશન વિભાગ-
ટ્રાઈએ કહ્યું કે ટેલિકોમ્યુનિકેશન વિભાગે સપ્ટેમ્બર 2022માં તેમનો સંપર્ક કર્યો હતો. ડિપાર્ટમેન્ટે નેશનલ નંબરિંગ પ્લાનમાં સુધારા માટે ભલામણો માંગી હતી જેથી કરીને દેશમાં ફોન નંબર સંસાધનોનું સંચાલન અને ઉપયોગ વધુ સારી રીતે થઈ શકે.


પત્ર-
ત્યારબાદ, TRAI એ નેશનલ નંબરિંગ પ્લાન (NNP) ના સુધારા પર એક પત્ર જારી કર્યો હતો. તેનો હેતુ ટેલિકોમ્યુનિકેશન ઓળખકર્તા સંસાધનોની ફાળવણી અને ઉપયોગને અસર કરતા તમામ પાસાઓનું મૂલ્યાંકન કરવાનો છે.


ટ્રાઈએ શું કહ્યું?
TRAI કહે છે કે તેનો ઉદ્દેશ્ય એલોકેશન પોલિસી અને ઉપયોગ પ્રક્રિયામાં સુધારો લાવવાનો છે. જેથી વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતો માટે ટેલિકોમ્યુનિકેશન ઓળખકર્તા સંસાધનોનો પૂરતો સ્ટોક હોઈ શકે.


શું ખરેખર ચાર્જ લેવાશે?-
રેગ્યુલેટરે કહ્યું કે અફવાઓ છે કે ટ્રાઈ એક કરતા વધારે મોબાઈલ સિમ કાર્ડ અથવા ફોન નંબર ધરાવતા ગ્રાહકો પર ચાર્જ લાદવાની યોજના બનાવી રહી છે. આ વાતો સાવ ખોટી છે. આવા દાવા ખોટા છે અને જનતાને ગેરમાર્ગે દોરે છે. આવી અથવા પર કોઈએ ધ્યાન આપવું નહીં. આ વાત સાવ પાયાવિહોણી છે.