Smart TV Care Tips in Monsoon: વરસાદની મોસમ એકદમ આહલાદક હોય છે. એવામાં લોકોને ગરમીથી રાહત મળે છે, તેથી ઘણા લોકોને આ ઋતુ ગમે છે. આ ઋતુ ગરમીની દૃષ્ટિએ ઘણી સારી છે, પરંતુ તે પોતાની સાથે કેટલીક મુશ્કેલીઓ પણ લઈને આવે છે. એમાંની એક મુશ્કેલીઓ દિવાલોમાં ભેજ છે. ઘણા લોકો તેમના સ્માર્ટ ટીવીને દિવાલ પર લગાવે છે. જો તમે આ સિઝનમાં દિવાલ પર સ્માર્ટ ટીવી લગાવવાનું વિચારી રહ્યા છો, તો બંધ કરો. આવું કરવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદની મોસમમાં દીવાલ પર સ્માર્ટ ટીવી લગાવવાથી થાય છે આ નુકસાન


1. ભેજનું જોખમ
વરસાદની મોસમમાં હવામાં ભેજની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. આ ભેજ દિવાલોમાં પણ હોય છે. જો તમે આ મોસમમાં દિવાલ પર સ્માર્ટ ટીવી લગાવવાનું વિચારી રહ્યા હોય તો સાવધાન, નહીં તો ટીવી અને દિવાલ બન્નેને નુકસાન થઈ શકે છે.


2. શોર્ટ સર્કિટનો ખતરો
ભેદના કારણે ટીવીની અંદરના ભાગોમાં શોર્ટ સર્કિટ થવાનો ખતરો વધી જાય છે. તેનાથી ટીવી ખરાબ થઈ શકે છે અને તેમાં આગ પણ લાગી શકે છે.


3. ટીવી પડવાનો ખતરો
વરસાદની મોસમમાં સતત પાણી પડવાના કારણે દીવાલો નબળી પડેલી હોય છે. જો તમે આ મોસમમાં દીવાલ પર સ્માર્ટ ટીવી લગાવો છો તો તેનાથી ટીવી પડી જવાનો ખતરો પણ રહેલો છે.


4. વીજળી પડવી
વરસાદની સીઝન દરમિયાન ભારે વરસાદ સાથે વીજળીનું જોખમ વધે છે. આ તમારા સ્માર્ટ ટીવી અને અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન પહોંચાડી શકે છે.


તો શું કરો?
જો તમે વરસાદની સીઝનમાં સ્માર્ટ ટીવી લગાવવા માંગો છો તો યોગ્ય રહેશે કે તમે દિવાલ પર ના લગાવો. તમે ફર્નિચર પર રાખી શકો છો, અથવા તો ટીવી સ્ટેન્ડનો ઉપયોગ કરી શકો છો.