અરવલ્લીની મેશ્વો નદીમાં ઘોડાપૂરથી ભયનજક સપાટી વટાવી રહી છે. જેને કારણે શામળાજી પાસે ચેકડેમ પર પાણીની ધસમસતા વહેણને કારણે રસ્તો બંધ કરાયો છે. ગોખરવા-મહાદેવગ્રામ કોઝવે પર પાણીથી 10 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. વાંદીયોલ પાસે પણ કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. મેશ્વો નદી કિનારાના અનેક વિસ્તારો અને કોઝવે પાણીમાં ગરકાવ બન્યા છે.