બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવા મુદ્દે ખુબ જ મોટુ આંદોલન થયું હતું. ત્યાર બાદ સરકારે સીટની રચના કરીને યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપ્યા બાદ સમગ્ર આંદોલન સમેટાયું હતું. સીટને 10 દિવસમાં અહેવાલ આપવા માટે આદેશ અપાયો હતો. જો કે, ગઇકાલ સાંજે પરીક્ષામાં ગેરરીતિ થયાનો SIT દ્વારા પ્રાથમિક અહેવાલ રજૂ કરતા બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષાને રાજ્ય સરકાર દ્વારા રદ્દ કરવામાં આવી છે.