નિત્યાનંદ આશ્રમ કાંડ (Nityanand Ashram) મામલે ગાયબ થયેલી બંને બહેનો વિદેશમાં એક સાથે હોવાનો આખરે ખુલાસો થયો છે. બંને બહેનો પહેલીવાર એકસાથે ફેસબુક પર આવી હતી. ફેસુબક પર વીડિયો (Facebook Video) અપલોડ કરીને તેઓએ કહ્યું કે, પોલીસ તેમની શરતો માને તો ગુજરાત આવીશું. તો બીજી તરફ, પુત્રીઓનો વીડિયો સામે આવ્યા બાદ પિતા જર્નાદન શર્માએ પણ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે દીકરીઓને મીડિયાના માધ્યમથી જવાબ આપતા કહ્યું કે, હું દરેક શરત માનવ તૈયાર છું.’