બનાસકાંઠા જિલ્લાની નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત. કોતરવાડા પાસે નર્મદાની માઇનોર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું છે. ગાબડું પડતાં ખેડૂતોના ઉભા પાકોમાં પાણી ફરી વળ્યું હતું. હલકી ગુણવત્તાના કારણે વારંવાર ગાબડાં પડતાં હોવાનો ખેડૂતોનો આક્ષેપ કર્યો હતો.