મહા વાવાઝોડુ પોરબંદરથી 540 કિમી વેરાવળથી 530 અને દિવથી 630 કિમી દુર છે. વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં 14 કિલોમિટરની ઝડપે આગળ વધી રહ્યુ છે. અગામી 24 કલાકમાં મહા વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારેથી પસાર થશે. વાવાઝોડાના પગલે દરિયા કાંઠે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.