ગઈકાલે મધરાતે વાયુ વાવાઝોડુ કચ્છમાં ત્રાટક્યું હતું. વાયુ વાવાઝોડું ધીમે ધીમે નબળુ પડતું ગયું હતું અને સમય જતાં હવે તેની તીવ્રતા સતત ઘટતી જઈ રહી છે. વાયુને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પણ પડ્યો હતો. ત્યારે વાયુ વાવાઝોડાને લઈને હવામાન વિભાગે છેલ્લુ બુલેટિન જાહેર કર્યું છે.