વલસાડમાં તસ્કરોનો આંતક દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. જેને લઇને વલસાડ પોલીસ સામે અનેક સવાલ ઉઠી રહ્યાં છે. 4 જેટલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. પોલીસ મથકથી 100 મીટરના અંડરમાં દુકાનો આવેલી છે. તસ્કરોએ કપડાંની દુકાનો તેમજ આઈડિયા કેર નામક દુકાનમાં ચોરી કરી હતી. વલસાડ શહરમાં વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે. 4 જેટલી દુકાનોમાં અંદાજીત 40000 જેટલી ચોરી નોંધાઇ છે. વલસાડ પોલીસને ઘટનાની જાણ થતાંજ દોડતી થઇ હતી.