દિવ્યાંગોને પગભર કરવાની PM મોદીની વાતનો ગુજરાતમાં છેદ ઉડે છે. રાજ્યસરકારે વિધાનસભા ગૃહમાં આપેલા લેખિત જવાબથી હકીકત સામે આવી છે. રાજ્યના 22 જિલ્લામાં સરકારી ચોપડે 451 દિવ્યાંગ બેરોજગાર નોંધાયા હતા. સૌથી વધારે અમદાવાદ જિલ્લામાં 130 અંધજન બેરોજગરો નોંધાયા છે.